વલસાડ |વલસાસાડ તાલુકા કોળી સમાજ પ્રગતિ મંડળ દ્વારા શૈક્ષિણક ક્ષેત્રે સેવા બજાવતા નિવૃત શિક્ષક સહિત સરકારી ક્ષેત્રે ફરજ બજાવતા અધિકારીઓ અને રાજય કક્ષાથી એવોર્ડ મેળવનારા શિક્ષકોનું સન્માન અને સ્વચ્છતા અભિયાન વિશે જાગૃતિ લાવવાનો કાર્યક્રમ 23-11-2014ને રવિવારે સવારે 9.30 કલાકે કરાશે. જેમાં ધારાસભ્ય ભરત કે. પટેલ,ઉદઘાટક.ડો.કે.સી.પટેલ,જયારે મુખ્ય મહેમાન તરીકે બીપીન બી.પટેલ,ડુંગરી, ગજાનન બી.પટેલ,ડુંગરી વલસાડ તાલુકા પંચાયત પ્રમુખ કલ્પના આર પટેલ,ડો.જયંત આર પટેલ સહિતના મહાનુભાવોની હાજરીમાં શૈક્ષણિક સંમેલનુ આયોજન કરાશે .જેમા સમાજનાં નિવૃત શિક્ષકો, સરકારી અધિકારીઓ, અને રાજય કક્ષાનો એવોર્ડ મેળનારા શિક્ષકો કે અધિકારીઓનું સનમાન વિધી કરાશે.તેમજ સમાજ શેક્ષિણક ક્ષેત્રે જાગૃતિ લાવવા વડા પ્રધાન નરેન્દ્રમોદીના સ્વચ્છ ભારત સ્વસથા અભિયનની જાગૃતિ લાવવા સ્નેહ સંમેલનનું આયોજન કરાશે.